ગુજરાતી સામાન્ય જ્ઞાન પ્રશ્નો અને જવાબો | GK Questions in Gujarati

ગુજરાતી સામાન્ય જ્ઞાન પ્રશ્નો અને જવાબો | GK Questions in Gujarati

GK Questions in Gujarati : અહી આપેલ આ આર્ટીકલમાં ગુજરાતી સામાન્ય જ્ઞાન પ્રશ્નો અને જવાબો આપેલ છે. આ પ્રશ્નો અને જવાબો વિદ્યાર્થીને સ્પર્ધાત્મક તેમજ અન્ય પરીક્ષામાં ખુબજ ઉપયોગી બને તે હેતુથી મૂકવામાં આવેલ છે.

GK Questions in Gujarati

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો પણ GK માં સૌથી વધુ ડર અનુભવે છે. સામાન્ય જ્ઞાનના પ્રશ્નો લેખિત પરીક્ષા તેમજ ઇન્ટરવ્યુ રાઉન્ડમાં પૂછવામાં આવે છે. GK Questions in Gujarati

ગુજરાતી સામાન્ય જ્ઞાન પ્રશ્નો અને જવાબો | GK Questions in Gujarati
GK Questions in Gujarati


ગુજરાતી સામાન્ય જ્ઞાન પ્રશ્નો અને જવાબો

સ્પર્ધાત્મક પરીક્ષા જેવીકે TET, TAT, HTAT, SSC, POLICE, TALATI, CLARCK, GPSC, UPSC જેવી વિવિધ પરીક્ષામાં ગુજરાતી સામાન્ય જ્ઞાન પ્રશ્નો અને જવાબો ખુબજ ઉપયોગી થશે.

પ્રશ્ન : 35 એમએમ સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઇ ? 
-  દરિયાછોરું

પ્રશ્ન : C.E.E.નું પૂરું નામ જણાવો.
-  સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજયુકેશન (અમદાવાદ)

પ્રશ્ન : G.E.E.R.નું પૂરું નામ જણાવો.
-  ગુજરાત ઈકોલોજીકલ એજયુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન (ગાંધીનગર)

પ્રશ્ન : IIM-A ની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ? 
-  ડૉ. વિક્રમ સારાભાઇ

પ્રશ્ન : IPRનું પૂરું નામ શું છે?
-  ઈન્સ્ટીટ્યુટ ઑફ પ્લાઝ્મા રીસર્ચ

પ્રશ્ન : ITCTIનું પુરૂ નામ જણાવો.
- ઈન્ફોર્મેશન ટેકનોલોજી સેન્ટર ફોર ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીઝ

પ્રશ્ન : અક્ષરધામ શું છે ?
- ગાંધીનગરમાં આવેલું સ્‍વામીનારાયણ પંથનું વડું મથક છે.

પ્રશ્ન : અમદાવાદથી સુરત સુધીની રેલવે ક્યારે શરૂ થઇ?
- તા.20મી જાન્યુઆરી, 1863ના રોજ

પ્રશ્ન : અમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે ?
-  મોટેરા સ્ટેડિયમ ( નરેન્દ્રમોદી સ્ટેડિયમ )

પ્રશ્ન : અમદાવાદમાં આવેલી ‘AGETA’ કલબનું પૂરૂં નામ શું છે ?
-  અમદાવાદ ગવર્નમેન્ટ એમ્પ્લોયડ ટેનિસ એસોસિએશન

પ્રશ્ન : અમદાવાદમાં મંદબુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઇ છે?
-  બી.એમ.ઈન્સ્ટીટ્યુટ ઑફ મેન્ટલ હેલ્થ

પ્રશ્ન : અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઇ રહેલી મહાત્વાકાંક્ષી યોજના રીવર ફ્રન્ટની કુલ લંબાઇ કેટલી છે?
- ૧૨.૫ કિ.મી.

પ્રશ્ન : અમદાવાદમાં સૌપ્રથમ આયુર્વેદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી?
-  ભિક્ષુ અખંડાનંદ

પ્રશ્ન : અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર(SAC) ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ?
- અમદાવાદ

પ્રશ્ન : અસાઈતના વંશજો વર્તમાનમાં કયા નામે ઓળખાય છે ?
-  તરગાળા

પ્રશ્ન : આણંદની દૂધ ડેરી પર આધારિત ફિલ્‍મનું નામ શું છે ?
- મંથન

પ્રશ્ન : આદિવાસી લોકકળા અને આદિવાસી સંસ્કૃતિ વિશે જાણકારી આપતું સાપુતારા આદિવાસી મ્યુઝિયમ કયા જિલ્લામાં આવ્યું છે?
- ડાંગ

પ્રશ્ન : આદિવાસીઓના ઉત્થાન માટે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા કોણે સ્થાપી હતી?
- જુગતરામ દવે

પ્રશ્ન : ઉત્તર અમેરીકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે?
- ૬૦ ટકા

પ્રશ્ન : ઉત્તર ગુજરાતમાં કઈ પૂનમના દિવસે ગામના જુવાન હાથમાં તલવાર લઈને નૃત્ય કરે છે ?
-  કારતકી

પ્રશ્ન : ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે?
-  ગાંધી માય ફાધર

પ્રશ્ન : એ.એમ.સી. (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની સ્થાપના કયારે થઇ હતી?
- જુલાઇ, ૧૯૫૦

પ્રશ્ન : એએમએ, આઇઆઇએમ અને પીઆરએલ કયા મહાનુભાવની દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે?
-  ડૉ. વિક્રમભાઈ સારાભાઈ

પ્રશ્ન : એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે?
-  સૂર્ય

પ્રશ્ન : એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી ?
-  શૂન્ય

પ્રશ્ન : એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજનું આખું નામ શું છે?
-  લાલભાઇ દલપતભાઇ કોલેજ ઓફ એન્જિનિયરિંગ

પ્રશ્ન : એશિયા ખંડમાં સૌથી વધુ સ્ત્રીવાહન ચાલક કયા શહેરમાં છે?
- અમદાવાદ

પ્રશ્ન : એશિયાટિક લાયન દિવસ દરમિયાન આશરે કેટલા કિલો ખોરાક ખાઇ શકે છે?
-  ૩૦ કિલો

પ્રશ્ન : એશિયાટિક લાયનનું આયુષ્ય આશરે કેટલા વર્ષનું હોય છે?
-  ૧૨થી ૧૫ વર્ષ

પ્રશ્ન : એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની રચના અને વિકાસનો યશ કોને જાય છે?
-  ડૉ. જીવરાજ મહેતા

પ્રશ્ન : એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે?
-  સિવિલ હૉસ્પિટલ. અમદાવાદ

પ્રશ્ન : એશિયાનું સૌથી મોટું ઓપન એર થિયેટર કયાં આવેલું છે?
-  અમદાવાદ (ડ્રાઈવ ઈન સિનેમા)

પ્રશ્ન : એશિયામાં સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ કયાં બનેલી છે ?
- સુરત

પ્રશ્ન : ઓનલાઇન વૉટિંગ ની સુવિધા ઉપલબ્ધ કરાવનાર દેશનુ પહેલુ રાજ્ય ક્યું છે?
-  ગુજરાત

પ્રશ્ન : કઇ ગુજરાતી મહિલા કર્ણાટકના રાજયપાલ બન્યા હતા?
-  કુમુદબેન જોષી

પ્રશ્ન : કઇ યોજના દ્વારા ગુજરાતમાં મહત્તમ ગ્રામવિકાસ થયો છે ?
- ગોકુલગ્રામ યોજના

પ્રશ્ન : કચ્છના રળિયામણા રણમાં કઇ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઊજવવામાં આવે છે?
- શરદ પૂર્ણિમા

પ્રશ્ન : કચ્છનો કયો મેળો કોમી એકતાનું પ્રતીક માનવામાં આવે છે ?
-  હાજીપીરનો મેળો

પ્રશ્ન : કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે?
-  નખત્રાણા

પ્રશ્ન : કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન-પ્રિન્ટિગ એમ્બ્રોઇડરી માટે જાણીતું છે?
-  નિરુણા

પ્રશ્ન : કચ્છમાં ગરીબદાસજી ઊદાસીન આશ્રમની સ્થાપના કોણે કરી હતી ?
-  ગુરુનાનકના શિષ્ય શ્રીચંદ

પ્રશ્ન : કન્યા કેળવણી ક્ષેત્રે ગુજરાત સરકારે શરૂ કરેલ યોજનાનું નામ જણાવો.
-  કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ

પ્રશ્ન : કબીરપંથી સંતો કયા નામથી ઓળખાય છે?
-  સાહેબ

પ્રશ્ન : કયા ગીતને ગુજરાત રાજયના પ્રતીક તરીકે લેવામા આવ્યું છે?
-  જય જય ગરવી ગુજરાત

પ્રશ્ન : કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે?
-  પ્રીતી સેનગુપ્તા

પ્રશ્ન : કયા ગુજરાતી મહિલા સ્વાતંત્ર સેનાની મ.સ. યુનિ.ના કુલપતિ પણ રહી ચૂકયા છે?
-  ડૉ. હંસાબેન મહેતા

પ્રશ્ન : કયા ગુજરાતી લેખકે ખગોળશાસ્ત્ર વિષે ગુજરાતીમાં પુસ્તકો રચ્યાં?
-  જીતેન્દ્ર જટાશંકર રાવલ

પ્રશ્ન : કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? 
-  ડૉ. મધુકર મહેતા

પ્રશ્ન : કયા મહાન ચિત્રકાર કલાગુરૂ તરીકે ઓળખાય છે?
-  રવિશંકર રાવળ

પ્રશ્ન : કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાન પછાતવર્ગોને મદદ કરવા ‘કુટુંબપોથી’ની પદ્ધતિ દાખલ કરવામાં આવી?
- માધવસિંહ સોલંકી

પ્રશ્ન : કયા રાજવીએ અસ્પૃશ્ય વિદ્યાર્થીઓ માટે બે છાત્રાલયોનું નિર્માણ કરાવી, તેઓ દેશમાં અને વિદેશમાં ભણી શકે તે માટે સ્કોલરશીપની  વ્યવસ્થા કરી આપી હતી?
-  મહારાજા સયાજીરાવ ગાયકવાડ

પ્રશ્ન : કયા શહેરને ફૂલોનું શહેર કહેવામાં આવે છે ?
-  પાલનપુર

પ્રશ્ન : કયા સંતે બાંધેલી ઝૂંપડી સતાધારના નામથી પ્રખ્યાત બની?
-  સંતશ્રી આપા ગીગા બાપુ

પ્રશ્ન : કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી?
-  મેકલેન્ડ

પ્રશ્ન : કવાંટ મેળો કયાં ભરાય છે ?
-  છોટા ઉદેપુર

પ્રશ્ન : કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઇ છે?
-  શ્રી એલ.એ. શાહ લૉ કૉલેજ-અમદાવાદ

પ્રશ્ન : કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે ?
-  નગીનાવાડી

પ્રશ્ન : કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે ?
-  નાટ્યસંપદા

પ્રશ્ન : કુદરતી રંગો દ્વારા તૈયાર થતા અને દુર્લભ કલાત્મકતા ધરાવતા પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે?
-  પાટણ

પ્રશ્ન : કુમાર ગાંધર્વ એવૉર્ડ કયા રાજયની સરકાર આપે છે?
-  ગુજરાત

પ્રશ્ન : કુમારપાળે કોની પ્રેરણાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો?
-  હેમચંદ્રાચાર્ય

પ્રશ્ન : કૃષ્ણમિત્ર સુદામાનું એકમાત્ર મંદિર કયાં આવેલું છે ?
-  પોરબંદર

પ્રશ્ન : કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હૉસ્પિટલ પ્રોજેકટનું નામ શું છે?
-  સંજીવની રથ

પ્રશ્ન : કેળવણીકાર નાનાભાઇ ભટ્ટે સ્થાપેલી લોકભારતી-સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે ?
-  ભાવનગર

પ્રશ્ન : ખેડબ્રહ્મા નજીક કયા ગામમાં ચિત્ર-વિચિત્ર મેળો ભરાય છે?
-  ગુણભાખરી

પ્રશ્ન : ગરીબી દૂર કરવા માટે ‘અંત્યોદય યોજના’ દાખલ કરનાર કયા ગુજરાતી હતા?
-  બાબુભાઇ જશભાઇ પટેલ

પ્રશ્ન : ગિરનાર પર્વત પર મલ્લીનાથનું સુપ્રસિદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું?
-  વસ્તુપાલ-તેજપાલ

પ્રશ્ન : ગુજરાત ઇન્ફોર્મેશન ટેકનોલોજીની નીતિ કોણે જાહેર કરી ?
-  કેશુભાઇ પટેલ

પ્રશ્ન : ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા કયા શહેરમાં આવેલી છે ?
-  વડોદરા( વડોદરાથી અત્યારે ગાંધીનગર ખાતે વડુ મથક ખસેડેલ છે)

પ્રશ્ન : ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ?
- સાપુતારા

પ્રશ્ન : ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના કયારે થઇ હતી ?
-  ઇ.સ. ૧૯૭૩

પ્રશ્ન : ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી કયાં આવેલી છે?
-  ગાંધીનગર

પ્રશ્ન : ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના કયારે થઇ ?
- ઇ.સ. ૧૯૭૫

પ્રશ્ન : ગુજરાત બહાર પૂજયશ્રી મોટાએ કયાં આશ્રમ સ્થાપ્યો હતો?
-  કાવેરીને કાંઠે કુંભકોણમ્માં

પ્રશ્ન : ગુજરાત સરકારની ભાષાનિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે?
-  રાજભાષા

પ્રશ્ન : ગુજરાત સરકારે ગ્રંથાલય પ્રવૃત્તિના વિકાસ તેમજ જાહેર ગ્રંથાલયોના વહીવટ અને સંચાલન માટે કયા ખાતાની રચના કરી છે ?
- ગ્રંથાલય ખાતું

પ્રશ્ન : ગુજરાત સાહિત્યસભાની સ્થાપના કોણે અને કઇ સાલમાં કરી હતી ?
-  રણજીતરામ વાવાભાઇ મહેતા - ૧૯૦૪

પ્રશ્ન : ગુજરાતના આદિવાસીઓનું ર્ધામિક પરંપરા ભીંતચિત્ર કયા નામે ઓળખાય છે?
-  પીછોરા

પ્રશ્ન : ગુજરાતના ઈતિહાસમાં કયા ગ્રંથની સન્માનયાત્રા સુપ્રસિદ્ધ છે?
-  સિદ્ધહેમ શબ્દાનુશાસન

પ્રશ્ન : ગુજરાતના કબીરપંથી સંત મોરાર સાહેબ કયાંના રાજકુંવર હતા?
-  થરાદ

પ્રશ્ન : ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિકસમાં નિયામક હતા?
-  ડૉ. આઇ. જી. પટેલ

પ્રશ્ન : ગુજરાતના કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે?
-  દિવાળીબેન ભીલ

પ્રશ્ન : ગુજરાતના કયા ઉદ્યોગપતિએ IIM-Aની સ્થાપના કરી?
-  કસ્તુરભાઇ લાલભાઇ

પ્રશ્ન : ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને ‘પદ્મભૂષણ’થી સન્માનિત કરાયા છે?
-  સલીમઅલી

પ્રશ્ન : ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં?
-  ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા

પ્રશ્ન : ગુજરાતના કયા મંદિરમાં દાન-ધર્માદો સ્વીકારાતો નથી?
-  વીરપુરનું જલારામ મંદિર

પ્રશ્ન : ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે?
-  સંત પીપાજી

પ્રશ્ન : ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મીકપૂર સાથે પરણ્યા છે?
-  ભાવનગરના કૃષ્ણકુમારસિહજીના સુપુત્રી

પ્રશ્ન : ગુજરાતના કયા લોકનૃત્યનું નામ સંસ્કૃત શબ્દ ‘ગર્ભદીપ’ પરથી ઉતરી આવ્યું છે?
-  ગરબા

પ્રશ્ન : ગુજરાતના કયા વિદ્વાને એક લાખ શ્લોકોવાળા મહાભારતમાંથી ‘ભારતસંહિતા’ અને ‘જયસંહિતા’ જુદી તારવી આપી છે?
-  કે.કા. શાસ્ત્રી

પ્રશ્ન : ગુજરાતના કયા વિસ્તારમાં કાષ્ઠકળાની વિવિધ ચીજોનો વ્યવસાય વિકસ્યો છે?
-  પ્રભાસ પાટણ

પ્રશ્ન : ગુજરાતના કયા શહેરની બાંધણી દેશભરમાં પ્રસિદ્ધ છે ?
- જામનગર

પ્રશ્ન : ગુજરાતના કયા શહેરને સાક્ષરનગરી તરીકે ઓળખવામાં આવે છે ?
-  નડિયાદ

પ્રશ્ન : ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહસ્થાન આવેલું છે?
-  જામનગર

પ્રશ્ન : ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ શાળાઓ આવેલી છે?
-  અમદાવાદ

પ્રશ્ન : ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ સરકારી અંગ્રેજી સ્કૂલ સ્થાપવામાં આવી?
-  સુરત

પ્રશ્ન : ગુજરાતના કયા સ્થળે ૧૨૦૦ વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજવલિત છે?
-  ઉદવાડા
ગુજરાતી સામાન્ય જ્ઞાન પ્રશ્નો અને જવાબો | GK Questions in Gujarati 4

GK Questions in Gujarati

પ્રશ્ન : ગુજરાતના ઘરઘરમાં જાણીતાં થનાર જનકલ્યાણ માસિકની શરૂઆત કોણે કરી હતી?
-  સંત પુનિત મહારાજ

પ્રશ્ન : ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ધીરુભાઇ અંબાણી કયાંના મૂળ નિવાસી હતા?
-  ચોરવાડ

પ્રશ્ન : ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં જોવા મળતી ડૂગોંગ માછલીનું વજન આશરે કેટલું હોય છે?
-  ૨૩૦થી ૯૦૦ કિ.ગ્રા.

પ્રશ્ન : ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં અસ્તિત્વ ધરાવતી વિશાળકાય સ્પર્મ વ્હેલનું વજન આશરે કેટલું હોય છે?
-  ૪૫થી ૭૦ ટન

પ્રશ્ન : ગુજરાતના પ્રથમ ઉર્દૂ ગઝલકાર કોણ છે ?
-  વલી ગુજરાતી
પ્રશ્ન : ગુજરાતના પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા?
-  હંસા મહેતા

પ્રશ્ન : ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા?
-  ઇન્દુમતીબેન શેઠ

પ્રશ્ન : ગુજરાતના પ્રથમ રેડિયો સ્ટેશનની શરૂઆત કયારે, કયાંથી થઇ?
-  ઇ.સ. ૧૯૩૪માં-વડોદરા

પ્રશ્ન : ગુજરાતના સૌપ્રથમ ગઝલકાર કોણ હતા?
-  બાલાશંકર કંથારિયા

પ્રશ્ન : ગુજરાતનાં એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે ?
- સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ

પ્રશ્ન : ગુજરાતનાં કચ્છી ભીંતચિત્રોને કયા નામે ઓળખવામાં આવે છે?
-  કમાંગરી શૈલી

પ્રશ્ન : ગુજરાતનાં કયા અગ્રણી ઉદ્યોગપતિએ કેલિકો મિલની સ્થાપના કરી હતી?
-  અંબાલાલ સારાભાઇ

પ્રશ્ન : ગુજરાતની એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના કયાં અને કયારે થઇ?
-  જામનગર ઇ.સ.૧૯૬૭

પ્રશ્ન : ગુજરાતની કઇ જાણીતી હોટલમાં પિત્તળના વાસણોનું સંગ્રહસ્થાન બનાવવામાં આવ્યું છે?
-  વિશાલા હોટલ-અમદાવાદ

પ્રશ્ન : ગુજરાતની કઇ વાહનવ્યવહાર સેવાને વર્લ્ડબેંકે વખાણી છે?
-  બી.આર.ટી.એસ

પ્રશ્ન : ગુજરાતની કઇ સંસ્થા વન્યજીવોના અભ્યાસ તેમજ સંરક્ષણ માટેની કામગીરી કરે છે?
-  ગુજરાત વાઈલ્ડ લાઈફ સોસાયટી

પ્રશ્ન : ગુજરાતની કઈ સંસ્થા વાલ્મીકિ રામાયણની સમીક્ષિત-પાઠ સંપાદનની કામગીરી દ્વારા વિશ્વપ્રસિદ્ધ થઇ છે?
-  પ્રાચ્ય વિદ્યામંદિર, વડોદરા

પ્રશ્ન : ગુજરાતની કઈ હિંમતવંતી નારીએ સને ૧૧૭૯માં શહાબુદ્દીન ઘોરીને હરાવી પાછો કાઢ્યો હતો?
-  નાયિકાદેવી

પ્રશ્ન : ગુજરાતની પ્રથમ મહિલા અવકાશયાત્રીનું નામ જણાવો.
-  સુનિતા વિલિયમ્સ

પ્રશ્ન : ગુજરાતની પ્રથમ લૉ કોલેજ કોણે-કોણે શરૂ કરી હતી?
-  સરદાર પટેલ, કસ્તુરભાઇ લાલભાઇ, પુરુષોત્તમ માવળંકર

પ્રશ્ન : ગુજરાતની પ્રથમ શારીરિક શિક્ષણની સંસ્થા કઇ છે?
-  છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય

પ્રશ્ન : ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કઇ છે?
-  ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ

પ્રશ્ન : ગુજરાતની સૌપ્રથમ ઉત્તર બુનિયાદી શાળાની સ્થાપના કોણે કરી હતી?
- બબલભાઈ મહેતા

પ્રશ્ન : ગુજરાતની સૌપ્રથમ કોમર્સ કોલેજનું નામ આપો.
-  એચ.એલ. કોમર્સ કોલેજ-અમદાવાદ - ઇ.સ.૧૯૩૭

પ્રશ્ન : ગુજરાતની સૌપ્રથમ પ્રાદેશિક મૂક ફિલ્મ કઇ હતી ?
-  ભકત વિદૂર

પ્રશ્ન : ગુજરાતની સૌપ્રથમ ફાઇન આર્ટસ કોલેજ કયા શહેરમાં સ્થપાઇ હતી?
-  વડોદરા

પ્રશ્ન : ગુજરાતનું કયું બંદર ‘બંદર-એ-મુબારક’ તરીકે ઓળખાતું હતું?
-  સુરત

પ્રશ્ન : ગુજરાતનું કયું શહેર ‘મક્કાનું પ્રવેશદ્વાર’ ગણાતું હતું?
-  સુરત

પ્રશ્ન : ગુજરાતનું કયું સ્થળ ૧૦૦૦થી વધુ મંદિરોનો સમૂહ ધરાવે છે?
-  પાલિતાણા

પ્રશ્ન : ગુજરાતનું કયું સ્થળ સંત કબીર સાથે સંકળાયેલું છે?
-  કબીરવડ

પ્રશ્ન : ગુજરાતનું પહેલું પુસ્તકાલય કયું છે ?
-  હીમાભાઇ ઇન્સ્ટીટ્યુટ

પ્રશ્ન : ગુજરાતનું રાજય વૃક્ષ કયું છે?
-  આંબો

પ્રશ્ન : ગુજરાતનું રેલવે સુરક્ષાદળનું તાલીમ કેન્દ્ર કયાં આવેલું છે ?
-  વલસાડ

પ્રશ્ન : ગુજરાતનું વિશ્વવિખ્યાત પરંપરાગત નૃત્ય કયું છે?
-  ગરબા

પ્રશ્ન : ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે?
-  કચ્છ મ્યુઝિયમ

પ્રશ્ન : ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયુ અને કયાં આવેલું છે ? 
-  સેન્ટ્રલ લાયબ્રેરી-વડોદરા

પ્રશ્ન : ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિમ કયાં આવેલું છે ? 
-  વડોદરા

પ્રશ્ન : ગુજરાતનું સૌપ્રથમ ટી.વી. સ્ટેશન કયું હતું? 
-  પીજ

પ્રશ્ન : ગુજરાતનું સૌપ્રથમ નેચર એજયુકેશન સેન્ટર કયાં છે ? 
-  હિંગોળગઢ

પ્રશ્ન : ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય કયા જિલ્લામાં આવેલું છે ? 
-  અમરેલી

પ્રશ્ન : ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય કયું છે? 
-  ગિરધરભાઈ બાળસંગ્રહાલય-અમરેલી

પ્રશ્ન : ગુજરાતનું સૌપ્રથમ રંગીન ચલચિત્ર કયું છે? 
-  લીલુડી ધરતી

પ્રશ્ન : ગુજરાતનું સૌપ્રથમ વિજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું? 
-  જામનગર

પ્રશ્ન : ગુજરાતમાં ‘વિધવા વિવાહ’ પર નિબંધ લખવા કયા સુધારકને ઘર છોડવું પડ્યું?
-  કરશનદાસ મૂળજી

પ્રશ્ન : ગુજરાતમાં ‘સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ’ કયાં આવેલી છે? 
-  સુરત

પ્રશ્ન : ગુજરાતમાં H.S.C.E. અને S.S.C.E. ની શરૂઆત કયારે થઇ? 
-  ઇ.સ.૧૯૭૨

પ્રશ્ન : ગુજરાતમાં અક્ષરધામ મંદિર કયાં આવેલું છે ? 
-  ગાંધીનગર

પ્રશ્ન : ગુજરાતમાં અનાથ આશ્રમની પ્રવૃત્તિ શરૂ કરનાર સૌપ્રથમ સુધારક કોણ હતા? 
-  મહિપતરામ રૂપરામ

પ્રશ્ન : ગુજરાતમાં અમદાવાદ ખાતે પહેલી લો કોલેજ સ્થાપનાર કોણ હતા? 
- સર લલ્લુભાઇ આશારામ શાહ

પ્રશ્ન : ગુજરાતમાં આવેલા કયા સરોવરનો વિષ્ણુપુરાણમાં ઊલ્લેખ કરવામાં આવ્યો છે? 
- નારાયણ સરોવર

પ્રશ્ન : ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ જ્યોર્તિલિંગ સોમનાથના નામનો અર્થ શું થાય છે? 
- ચંદ્રનો રક્ષક

પ્રશ્ન : ગુજરાતમાં આવેલી એશિયાની સોથી મોટી હોસ્પિટલ કઇ છે ? 
- સિવિલ હોસ્પિટલ-અમદાવાદ

પ્રશ્ન : ગુજરાતમાં આવેલી કઇ મેનેજમેન્ટ સંસ્થા એશિયામાં પ્રથમ ક્રમે આવે છે? 
- આઈ.આઈ.એમ. એ

પ્રશ્ન : ગુજરાતમાં આવેલું કયું જ્યોર્તિલિંગ બારેય જ્યોર્તિલિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે?
સોમનાથ

પ્રશ્ન : ગુજરાતમાં એકમાત્ર બ્રહ્માજીનું મંદિર કયાં આવેલું છે ? 
- ખેડબ્રહ્મા

પ્રશ્ન : ગુજરાતમાં કન્યાઓ માટેની સૌપ્રથમ પોલિટેકનિકની શરૂઆત કયાં થઇ હતી? 
- અમદાવાદ - ૧૯૬૪

પ્રશ્ન : ગુજરાતમાં કયા રાજવીએ વિનામૂલ્યે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યું ? 
- સયાજીરાવ ગાયકવાડ

પ્રશ્ન : ગુજરાતમાં કયા શહેરમાં સૌથી વધુ મંદિરો છે ? 
- પાલીતાણા

પ્રશ્ન : ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? 
- ટીપ્પણી

પ્રશ્ન : ગુજરાતમાં કાર્તિકી-પૂનમનો સૌથી મોટો મેળો કયાં ભરાય છે ? 
- સોમનાથ

પ્રશ્ન : ગુજરાતમાં કાર્તિકી-પૂનમનો સૌથી મોટો મેળો કયાં ભરાય છે ? 
- સોમનાથ

પ્રશ્ન : ગુજરાતમાં ક્ષત્રપકાલીન યુગનાં કયા સ્થાપત્યો મળ્યાં છે? 
- સ્તૂપ અને વિહારસ્વરૂપની ગુફાઓ

પ્રશ્ન : ગુજરાતમાં ખારી જમીનમાં ખેતીના વિકાસની જવાબદારી કોના હસ્તક છે? 
- ગુજરાત રાજય ખાર જમીન વિકાસ મંડળ

પ્રશ્ન : ગુજરાતમાં ગુજરાતી બાદ સૌથી વધુ બોલાતી ભાષા કઇ છે? 
- મરાઠી
ગુજરાતી સામાન્ય જ્ઞાન પ્રશ્નો અને જવાબો | GK Questions in Gujarati 3

ગુજરાતી સામાન્ય જ્ઞાન પ્રશ્નો અને જવાબો

પ્રશ્ન : ગુજરાતમાં ચિત્રવિચિત્ર મેળો કયાં ભરાય છે ? 
- ગુણભાખરી

પ્રશ્ન : ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા કયાં આવેલી છે?
- બાલાછડી

પ્રશ્ન : ગુજરાતમાં જિલ્લાઓની પુર્નરચના કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન થઇ હતી? 
- શંકરસિંહ વાઘેલા

પ્રશ્ન : ગુજરાતમાં ટેલિવીઝનનો પ્રાંરભ કયારથી થયો? 
- ૧૫ ઓગસ્ટ, ૧૯૭૫

પ્રશ્ન : ગુજરાતમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કઇ સરકારી વાહન સેવા કાર્યરત છે? 
- ‘૧૦૮’

પ્રશ્ન : ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ ગણાય છે?    
- મોતીભાઇ અમીન

પ્રશ્ન : ગુજરાતમાં ફિલ્મ નિર્માણ માટેનો સૌપ્રથમ સ્ટુડિયો કયાં બંધાયો હતો? 
- હાલોલ

પ્રશ્ન : ગુજરાતમાં બી. એસ. એફ.નું હેડ કવાર્ટર કયાં શહેરમાં છે? 
- ગાંધીનગર

પ્રશ્ન : ગુજરાતમાં બ્રહ્માજીનું પુરાણ પ્રસિદ્ધ મંદિર કયાં આવેલું છે ? 
- ખેડબ્રહ્મા

પ્રશ્ન : ગુજરાતમાં ભવાઈ મંડળીઓ કયા નામથી ઓળખાતી હતી ? 
- પેડા

પ્રશ્ન : ગુજરાતમાં મધ્યકાલીન યુગના ૧૭મા શતકને કયા નામે ઓળખવામાં આવે છે ? 
- શાંતિ અને સ્વાસ્થ્યનો યુગ

પ્રશ્ન : ગુજરાતમાં મોટા અંબાજી ખાતે મેળો કયા મહિનાની પૂનમે ભરાય છે ? 
- ભાદરવા

પ્રશ્ન : ગુજરાતમાં રકતપિત્તિયાઓની સારવાર માટે કોણે જીવન સમર્પિત કરી દીધું હતું? 
- આયરાણી અમરબાઇ અને દેવીદાસજી

પ્રશ્ન : ગુજરાતમાં રથયાત્રાનો સૌથી મોટો ઉત્સવ કયાં ઉજવાય છે ? 
- અમદાવાદ

પ્રશ્ન : ગુજરાતમાં રેલવે ટ્રેઇનિંગ કોલેજ કયા શહેરમાં આવેલી છે? 
- વડોદરા

પ્રશ્ન : ગુજરાતમાં રેલવેનો કયો ઝોન લાગુ પડે છે ? 
-  વેસ્ટર્ન ઝોન

પ્રશ્ન : ગુજરાતમાં લગ્ન સમયે ગવાતાં લગ્નગીતો કયા નામે ઓળખાય છે? 
- ફટાણા

પ્રશ્ન : ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિના પિતામહ કોણ ગણાય છે? 
- છોટુભાઇ પુરાણી

પ્રશ્ન : ગુજરાતમાં શિવરાત્રિ નિમિત્તે ભવનાથ મેળો કયાં ભરાય છે ? 
- જૂનાગઢ

પ્રશ્ન : ગુજરાતમાં સદાવ્રતના સંત તરીકે કોણ પ્રખ્યાત છે? 
- જલારામ બાપા

પ્રશ્ન : ગુજરાતમાં સર્વપ્રથમ આયુર્વેદ કોલેજની સ્થાપના કયાં અને કયારે થઈ હતી? 
- પાટણ-ઇ.સ.૧૯૨૩

પ્રશ્ન : ગુજરાતમાં સૌ પ્રથમ એમ.એ.ની પદવી કોણે મેળવી હતી? 
- અંબાલાલ સાંકરલાલ દેસાઇ

પ્રશ્ન : ગુજરાતમાં સૌ પ્રથમ કઇ ચુંટણીમા ઓનલાઇન  વૉટિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામા આવી?
- અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન

પ્રશ્ન : ગુજરાતમાં સૌ પ્રથમ ટીચર્સ ટ્રેઇનિંગ કોલેજ કોણે અને કયાં સ્થાપી ? 
- પ્રેમચંદ રાયચંદ-અમદાવાદ

પ્રશ્ન : ગુજરાતમાં સૌથી પહેલાં કન્યાશાળા કયા અને કયારે શરૂ થઇ હતી? 
- ઇ.સ.૧૮૪૯ (અમદાવાદ)

પ્રશ્ન : ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય કયું છે? 
- સેન્ટ્રલ લાયબ્રેરી-વડોદરા

પ્રશ્ન : ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર કયું છે? 
- પાલીતાણા

પ્રશ્ન : ગુજરાતમાં સૌથી વધુ લઘુ ઉદ્યોગ એકમો કયા જિલ્લામાં આવેલા છે ? 
- અમદાવાદ

પ્રશ્ન : ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી? 
- મહિપતરામ રૂપરામ

પ્રશ્ન : ગુજરાતમાં સૌપ્રથમ ઉર્દુ શાળા કયાં સ્થપાઇ હતી? 
- અમદાવાદ

પ્રશ્ન : ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોલેજ શરૂ થઈ? 
- ગુજરાત કોલેજ-અમદાવાદ-ઇ.સ.૧૮૮૭

પ્રશ્ન : ગુજરાતમાં સૌપ્રથમ કન્યાશાળા કઇ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી હતી? 
- ગુજરાત વર્નાકયુલર સોસાયટી

પ્રશ્ન : ગુજરાતમાં સૌપ્રથમ કલોથ માર્કેટ કયાં સ્થપાઇ હતી? 
- અમદાવાદ

પ્રશ્ન : ગુજરાતમાં સૌપ્રથમ ગટર લાઇન કયાં અને કયારે અસ્તિત્વમાં આવી હતી? 
- અમદાવાદ-ઇ.સ. ૧૮૯૦

પ્રશ્ન : ગુજરાતમાં સૌપ્રથમ પ્લેનેટોરિયમ કયાં સ્થપાયું હતું? 
- સુરત

પ્રશ્ન : ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર કોણે શરૂ કરાવ્યું? 
- મહારાજા સયાજીરાવ ગાયકવાડ-વડોદરા

પ્રશ્ન : ગુજરાતી ભાષાનાં જાણીતાં વિજ્ઞાન પાક્ષિક અને તેના પ્રકાશકનું નામ જણાવો.
- સફારી - નગેન્દ્ર વિજય

પ્રશ્ન : ગુજરાતી મહિલા માલા ચિનોયને કયા ક્ષેત્રમાં પ્રદાન આપવા બદલ પ્રતિષ્ઠિત ટ્રેઇલ બ્રેઝર એવોર્ડ આપવામાં આવ્યો છે ? 
- તબીબી ક્ષેત્રે

પ્રશ્ન : ગુજરાતી વૈજ્ઞાનિક ભારતમાં અવકાશી સંશોધનના પ્રણેતા ગણાય છે? 
- ડૉ. વિક્રમ સારાભાઇ

પ્રશ્ન : ગુરુ નાનક કચ્છમાં કયાં રહ્યા હતા? 
- લખપત

પ્રશ્ન : ગેટ વે ઑફ ફ્રીડમ તરીકે કઇ ગ્રામપંચાયત સમરસ તરીકે જાહેર થયેલી છે? 
- દાંડી ગ્રામ પંચાયત

પ્રશ્ન : ગોકુલ ગ્રામ યોજનાનો પ્રારંભ કયારે થયો હતો? 
- ૧૯૯૫-૯૬

પ્રશ્ન : ગોધરાનું પ્રાચીન નામ શું હતું ? 
- ગોરૂહક

પ્રશ્ન : ગોફગૂંથન - સોળંગારાસ કોણ કરે છે અને કયાંનું છે? 
- સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓ
પ્રશ્ન : ગોંડલમાં આવેલા અને પોતાની સ્થાપત્યકિય રચનાને કારણે જાણીતા મહેલનું નામ આપો. 
- નવલખા મહેલ

પ્રશ્ન : ગોંડલમાં આવેલું કયું મંદિર ગુજરાતભરમાં પ્રસિદ્ધ છે ? 
- ભુવનેશ્વરી મંદિર

પ્રશ્ન : ચાસ કુળનું કયું પક્ષી શિયાળો ગાળવા સૌરાષ્ટ્રમાં આવે છે? 
- કાશ્મીરી ચાસ

પ્રશ્ન : ચોટીલા ડુંગર ઉપર કયું પ્રસિદ્ધ મંદિર આવેલું છે ? 
- ચામુંડા માતા

પ્રશ્ન : જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું મૂળ નામ જણાવો. 
- જયશંકર ભોજક

પ્રશ્ન : જાણીતી શૈક્ષણિક સંસ્થા વલ્લભ વિદ્યાનગર અને ચરોતર એજયુકેશન સોસાયટીના આદ્યસ્થાપક કોણ હતા?  
- ભાઇલાલભાઇ પટેલ

પ્રશ્ન : જામનગરમાં આવેલા કયા કિલ્લાને સંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે? 
Ans: લાખોટા ફોર્ટ

પ્રશ્ન : જી.આઇ.ઇ.ટી. નું પુરું નામ જણાવો. 
Ans: ગુજરાત ઈન્સ્ટીટ્યુટ ઑફ એજયુકેશન ટેકનોલોજી

પ્રશ્ન : જુનાગઢના ગિરનાર પર્વતની પડખે આવેલી દાતાર ટેકરી પર કયા પીરની દરગાહ આવેલી છે ? 
Ans: જમિયલશા પીર

પ્રશ્ન : ટિપ્પણી નૃત્ય સૌરાષ્ટ્રના કયા વિસ્તારનું જાણીતું નૃત્ય છે? 
Ans: ચોરવાડ

પ્રશ્ન : ટેલિ કોમ્યુનિકેશન ક્ષેત્રે ભારતમાં ક્રાંતિ લાવનાર ગુજરાતી કોણ છે? 
Ans: સામ પિત્રોડા

પ્રશ્ન : ટેલિવિઝનનો ગુજરાતમાં પ્રારંભ કયારે થયો? 
Ans: ૧૫ ઑૅગષ્ટ, ૧૯૭૫

પ્રશ્ન : ઠાગા-નૃત્ય કઈ જાતિના લોકોમાં પ્રચલિત છે ? 
Ans: ઠાકોર

પ્રશ્ન : ડાકોર મંદિરની સાથે કયા સંતની ભકિતકથા જોડાયેલી છે? 
Ans: સંત બોડાણા

પ્રશ્ન : ડાયમન્ડ કટિંગ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સુરતનો હિસ્સો કેટલા ટકા છે? 
Ans: ૮૦ ટકા

પ્રશ્ન : ડાંગ જિલ્લાની બાળાઓને શિક્ષણ આપતી ઋતંભરા વિદ્યાપીઠ શરૂ કરનાર સ્વાતંત્ર સેનાનીનું નામ આપો. 
Ans: પૂર્ણિમાબેન પકવાસા

પ્રશ્ન : ડાંગની દાદી તરીકે કોણ જાણીતું છે? 
Ans: પૂર્ણિમાબેન પકવાસા

પ્રશ્ન : ડાંગમાં દર વર્ષે યોજાતો આદિવાસીઓનો ઉત્સવ કયા નામે ઓળખાય છે? 
Ans: ડાંગ દરબાર

પ્રશ્ન : ડાંગી નૃત્ય અન્ય કયા નામે ઓળખાય છે? 
Ans: ચાળો

પ્રશ્ન : ડિઝાઇન માટેની કઇ વિશ્વ પ્રસિદ્ધ સંસ્થા ગુજરાતમાં આવેલી છે? કયાં? 
Ans: નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડીઝાઇન- અમદાવાદ

પ્રશ્ન : ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના કયારે થઇ? 
Ans: ઇ.સ.૧૯૯૭

પ્રશ્ન : તરણેતરનો મેળો કોના વિજય માટે ઉજવાય છે? 
Ans: અર્જુનના દ્રૌપદી-વિજય માટે

પ્રશ્ન : તાના અને રીરી કયા ભકત કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે? 
Ans: કવિ નરસિંહ મહેતા

પ્રશ્ન : તારંગા કયા ધર્મનું જાણીતું તીર્થસ્થળ છે? 
Ans: જૈન

પ્રશ્ન : દક્ષિણ ગુજરાતના દુબળા જાતિના લોકોનું નૃત્ય કયા નામે ઓળખાય છે ? 
Ans: ઘેરિયા નૃત્ય

પ્રશ્ન : દક્ષિણ ગુજરાતમાં કયું હવા ખાવાનું સ્થળ આવેલું છે ? 
Ans: સાપુતારા
ગુજરાતી સામાન્ય જ્ઞાન પ્રશ્નો અને જવાબો | GK Questions in Gujarati 2

ગુજરાતી સામાન્ય જ્ઞાન પ્રશ્નો અને જવાબો

પ્રશ્ન : દર વર્ષે અમદાવાદના કયા મંદિરેથી રથયાત્રા નીકળે છે? 
Ans: જગન્નાથ મંદિર

પ્રશ્ન : દૂધિયું તળાવ હિંદુઓના કયા યાત્રાધામ પાસે આવેલું છે? 
Ans: પાવાગઢ

પ્રશ્ન : દૂરવર્તી શિક્ષણ માટેની ગુજરાતની પ્રસિદ્ધ યુનિવર્સિટી કઇ છે? 
Ans: ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી

પ્રશ્ન : દેશભરમાં આર્કિટેકટના અભ્યાસ માટે જાણીતી ‘CEPT’ ની સ્થાપના કયાં અને કયારે થઇ? 
Ans: અમદાવાદ ઇ.સ.૧૯૬૩

પ્રશ્ન : દો-હદ શબ્દ કયા શહેરના નામ સાથે સંકળાયેલો છે ? 
Ans: દાહોદ

પ્રશ્ન : દ્વારકા અને ઓખા વચ્ચે આવેલો પંથક કયા નામે ઓળખાય છે? 
Ans: ઓખા મંડળ

પ્રશ્ન : દ્વારકાધીશ મંદિરની ધજા દિવસમાં કેટલી વાર બદલવામાં આવે છે? 
Ans: ત્રણ

પ્રશ્ન : દ્વારકાના મંદિરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
Ans: જગત મંદિર અથવા ત્રિલોક મંદિર

પ્રશ્ન : ધરમપુર વિસ્તારના આદિવાસીઓ તીરકામઠું કે ધનુષ બાણ અને ભાલા લઈ કયું નૃત્ય કરે છે? 
Ans: શિકાર નૃત્ય

પ્રશ્ન : ધવલ્લક’ એ ગુજરાતના કયા આધુનિક શહેરનું પ્રાચીન નામ છે ? 
Ans: ધોળકા

પ્રશ્ન : નડિયાદમાં હરિ ઓમ આશ્રમ શરૂ કરનાર સંત કયા હતા? 
Ans: સંત પૂજય શ્રી મોટા

પ્રશ્ન : નવરાત્રિ દરમ્યાન નોમના દિવસે પલ્લીનો ઊત્સવ કયાં ઊજવવામાં આવે છે? 
Ans: રૂપાલ

પ્રશ્ન : નવા વિધાનસભા બિલ્ડગનું નામ કોના નામ ઊપર રાખવામાં આવ્યું છે ? 
Ans: વિઠ્ઠલભાઇ પટેલ

પ્રશ્ન : નવાનગર રજવાડાની સ્થાપના કોણે કરી હતી? 
Ans: જામ રાવલ

પ્રશ્ન : નાણામંત્રી તરીકે કેન્દ્ર સરકારમાં સૌથી વધુ (૮ વખત) બજેટ રજૂ કરનાર ગુજરાતી નેતા કોણ હતા? 
Ans: મોરારજી દેસાઇ

પ્રશ્ન : નારાયણ સરોવર મંદિર કયા જિલ્લામાં આવેલું છે ? 
Ans: કચ્છ

પ્રશ્ન : નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે? 
Ans: શંખેશ્વર

પ્રશ્ન : નિરંજન ભગતના બધા કાવ્યો કયા કાવ્યસંગ્રહમાં સંગ્રહિત થયા છે? 
Ans: છંદોલય

પ્રશ્ન : પવિત્ર યાત્રાધામ ડાકોરના મંદિર પાસે કયું તળાવ આવેલું છે? 
Ans: ગોમતી તળાવ

પ્રશ્ન : પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકા અન્ય કયા નામથી ઓળખાય છે ? 
Ans: બેટ શંખોદર

પ્રશ્ન : પવિત્ર શકિતતીર્થ અંબાજી કયા જિલ્લામાં આવેલું છે ? 
Ans: બનાસકાંઠા

પ્રશ્ન : પંચાયતોના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ યોજના કાર્યરત છે? 
Ans: તીર્થગ્રામ યોજના

પ્રશ્ન : પાશુપત ધર્મના સ્થાપકનું નામ જણાવો. 
Ans: લકુલેશજી

પ્રશ્ન : પાંડવોના રથ જેવા આકારનું મંદિર ગુજરાતમાં કયાં આવેલું છે ? 
Ans: જડેશ્વર મહાદેવ

પ્રશ્ન : પાંડવોની શાળા’ અને ‘ભીમનું રસોડું’ જેવાં સ્થાપત્યો ગુજરાતના કયા સ્થળે આવેલા છે ? 
Ans: ધોળકા

પ્રશ્ન : પુરાણોમાં કઈ નદીને ‘રુદ્રકન્યા’ કહી છે ? 
Ans: નર્મદા

પ્રશ્ન : પૂજય મોટાએ લોકોને કયા મંત્રની સાધના કરવા કહ્યું? 
Ans: હરિ ૐ

પ્રશ્ન : પોરબંદર જિલ્લાના કયા ગામમાં શ્રીકૃષ્ણ, બલરામ અને રુકિમણીજીનું પ્રાચીન મંદિર આવેલું છે? 
Ans: માધવપુર

પ્રશ્ન : પોરબંદરમાં આવેલ ગાંધીજીનું ઘર કયા નામથી ઓળખવામાં આવે છે ? 
- કીર્તિમંદિર

પ્રશ્ન : જામનગરમાં કયા મંદિરમાં સતત રામધૂન લાગે છે ? 
- બાલા હનુમાન

પ્રશ્ન : પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું? 
Ans: નાનજી કાલિદાસ મહેતા

પ્રશ્ન : પ્રકૃતિ શિક્ષણ માટે જાણીતું હિંગોળગઢ અભિયારણ્ય કયાં આવેલું છે ? 
Ans: જસદણ

પ્રશ્ન : પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઇ સંસ્થા કાર્યરત છે અને તે કયાં આવેલી છે? 
Ans: અંધજન મંડળ-અમદાવાદ

પ્રશ્ન : પ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતાં? 
Ans: નાનાભાઈ હરિદાસ

પ્રશ્ન : પ્રથમ ગુજરાતી મુદ્રક કોણ હતાં ? 
Ans: ભીમજી પારેખ

પ્રશ્ન : પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા ? 
Ans: મોરારજી દેસાઇ

પ્રશ્ન : પ્રથમ ગુજરાતી શાળા કયાં અને કયારે શરૂ થઈ? 
Ans: સુરત - ઈ.સ. ૧૮૩૬

પ્રશ્ન : પ્રથમ ગુજરાતી સાપ્તાહિક ‘શ્રી મુંમબઇના સમાચાર’ કોણે પ્રકાશિત કર્યુ? 
Ans: ફર્દુનજી મર્ઝબાન

પ્રશ્ન : પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર એવો ગુજરાતનો કયો બીચ વર્જીન બીચ તરીકે ઓળખાય છે? 
Ans:દીવ

પ્રશ્ન : ફરજિયાત અને વિનામૂલ્યે શિક્ષણ કઇ ઉંમરના બાળકોને લાગૂ પડે છે? 
Ans: ૬થી ૧૪ વર્ષ

પ્રશ્ન : ફાગણી પૂનમે ભરાતે ગુજરાતનો કયો મેળો ખૂબ લોકપ્રિય છે? 
Ans: ડાકોરનો મેળો

પ્રશ્ન : ફિલ્મ અભિનય ક્ષેત્રે જંપલાવનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી કોણ હતાં? 
Ans: લીલા દેસાઈ

પ્રશ્ન : ફિશર ચેસ કલબ’ની સ્થાપના કયારે થઇ ? 
Ans: ઇ.સ. ૧૯૯૬

પ્રશ્ન : બળિયાદેવને રીઝવવા માટે કયું નૃત્ય કરવામાં આવે છે ? 
Ans: કાકડા નૃત્ય

પ્રશ્ન : બાળ વિવાહ પર પ્રતિબંધ મુકતો કાયદો સૌપ્રથમ કોણે પસાર કર્યો હતો? 
Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ-વડોદરા

પ્રશ્ન : બી.એમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થની સ્થાપના કોણે કરી હતી? 
Ans: ડૉ. વિક્રમ સારાભાઇ

પ્રશ્ન : બોલીવુડ ફિલ્મ દેવદાસનું નિર્માણ કયા ગુજરાતીએ કર્યું છે? 
Ans: સંજય લીલા ભણસાલી

પ્રશ્ન : ભરૂચની પારંપારિક હસ્તકળાનું નામ જણાવો. 
Ans: સુજની

પ્રશ્ન : ભારતના અણુ કાર્યક્રમના પિતા કોણ છે? 
Ans: ડૉ. હોમી ભાભા

પ્રશ્ન : ભારતની વિસરાયેલી લોકરમતોનું અદભૂત ભાથું પુરૂં પાડનાર ગ્રંથનું નામ જણાવો. 
Ans: લોકરમતો

પ્રશ્ન : ભારતની સૌથી મોટી સોફટવેર કંપની વિપ્રોના ચેરમેન કયા ગુજરાતી છે ? 
Ans: અઝીમ પ્રેમજી

પ્રશ્ન : ભારતનું એકમાત્ર કોઇન મ્યુઝિયમ કયાં આવેલું છે ? 
Ans: વડોદરા

પ્રશ્ન : ભારતભરની એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટી કયા શહેરમાં આવેલી છે ? 
Ans: જામનગર

પ્રશ્ન : ભારતભરની દૂધ અને ડેરી પ્રોડકટ્સની માંગને પૂરી કરતી અમૂલ ડેરી ગુજરાતમાં કયાં આવેલી છે? 
Ans: આણંદ

પ્રશ્ન : ભારતમાં બે જુદી - જુદી નદીના નીર એકત્રિત કરવાનું કાર્ય સૌ પ્રથમ કયા રાજયે કર્યું ? 
Ans: ગુજરાત

પ્રશ્ન : ભારતમાં સૌથી વધુ રકતદાન કયા રાજયમાં થાય છે? 
Ans: ગુજરાત

પ્રશ્ન : ભારતમાં સૌપ્રથમ સ્ટીમર ખરીદનાર ગુજરાતી કોણ હતું? 
Ans: નરોત્તમ મોરારજી

પ્રશ્ન : ભારતીય અવકાશ સંશોધનના પિતા કોણ છે? 
Ans: ડૉ. વિક્રમ સારાભાઇ

પ્રશ્ન : ભારતીય ભૂમિસેનાના પ્રથમ ગુજરાતી ફિલ્ડમાર્શલ કોણ હતા ? 
Ans: જનરલ માણેકશા

પ્રશ્ન : ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રખ્યાત ઊત્સવ ‘તાનારીરી’ ગુજરાતમાં કયાં ઊજવાય છે? 
Ans: વડનગર

પ્રશ્ન : ભારતીય સ્ટીલ ઉદ્યોગના પ્રણેતા જમશેદજી ટાટાનો જન્મ કયાં થયો હતો? 
Ans: નવસારી

પ્રશ્ન : ભાવનગર જિલ્લામાં ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનો પ્લાન્ટ કયાં આવેલો છે ? 
Ans: આવાણિયા

પ્રશ્ન : ભાવનગરના કયા ધરામાંથી દુષ્કાળમાં પણ પાણી ખૂટતું નથી ? 
Ans: તાતણીયો ધરો

પ્રશ્ન : ભૂજના ભૂજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે? 
Ans: ભુજંગ મંદિર

પ્રશ્ન : મધર ડેરી ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? 
Ans: ગાંધીનગર

પ્રશ્ન : મહાભારતકાળથી નવરાત્રિ દરમ્યાન માતાજીની પલ્લી કયા ગામમાં ભરાય છે ? 
Ans: રૂપાલ

પ્રશ્ન : મહારાજા સિધ્ધરાજે કોતરાવેલો દુર્લભ શિલાલેખ કયાં આવેલો છે ? 
Ans: ભદ્રેશ્વર

પ્રશ્ન : મહુડી જૈન તીર્થની સ્થાપના કોણે કરી હતી? 
Ans: આચાર્ય બુદ્ધિસાગરજી

પ્રશ્ન : મંજીરાનૃત્ય એ ભાળકાંઠામાં વસતા કયા લોકોનું વિશિષ્ટ લોકનૃત્ય છે ? 
Ans: પઢાર

પ્રશ્ન : માખીમાર કુળનું કયું પક્ષી શિયાળો ગાળવા હિમાલયથી ગુજરાત આવે છે? 
Ans: ફિરોજી માખીમાર

પ્રશ્ન : મુસ્લિમોનું પવિત્ર યાત્રાધામ હાજીપીર કયા જિલ્લામાં આવેલું છે ? 
Ans: કચ્છ

પ્રશ્ન : મુંબઇથી થાણા વચ્ચે દેશની સર્વપ્રથમ રેલવે ક્યારે શરૂ થઇ? 
-  તા. 16મી એપ્રિલ, 1853ના રોજ

પ્રશ્ન : મેશ્વોનદી ઉપર બંધ બાંધતા કયું સરોવર તૈયાર થયું ? 
Ans: શ્યામ સરોવર

પ્રશ્ન : મોઢેરા નૃત્ય મહોત્સવનું આયોજન દર વર્ષે કયા માસમાં થાય છે? 
Ans: જાન્યુઆરી
ગુજરાતી સામાન્ય જ્ઞાન પ્રશ્નો અને જવાબો | GK Questions in Gujarati 1

GK Questions in Gujarati

પ્રશ્ન : મોરાયો બનાસકાંઠાના કયા તાલુકાનું નૃત્ય છે? 
Ans: વાવ

પ્રશ્ન : મૌન મંદિરના સ્થાપક કોણ હતા? 
Ans: પૂજય શ્રી મોટા

પ્રશ્ન : રબારીઓ દ્વારા કરવામાં આવતું ખૂબ બારીક ભરતકામ કયા નામે ઓળખાય છે? 
Ans: ટોડલિયા

પ્રશ્ન : રંગ અવધૂત મહારાજનો જન્મ કયાં થયો હતો? 
Ans: ગોધરા

પ્રશ્ન : રીંછનો પ્રિય ખોરાક શું હોય છે? 
Ans: ઉધઇ

પ્રશ્ન : રૂપાયતન હસ્તકલા ઊદ્યોગ કયાં વિકસેલો છે? 
Ans: જૂનાગઢ

પ્રશ્ન : રૂમીખાન’નો ખિતાબ ગુજરાતમાં કોને આપવામાં આવેલો છે ? 
Ans: અમીર મુસ્તુફા

પ્રશ્ન : લંડનમાં સૌપ્રથમ ગુજરાતી મહિલા મેયર કોણ હતાં? 
Ans: લતા પટેલ

પ્રશ્ન : લાખો ફૂલાણી’ ફિલ્મના સંગીતકાર કોણ છે ? 
Ans: ગૌરાંગ વ્યાસ

પ્રશ્ન : લોકસંસ્કૃતિનાં રક્ષણ માટે ગુજરાત સરકારે કઇ યોજના અમલમાં મૂકી છે? 
Ans: પંચવટી યોજના

પ્રશ્ન : વડનગર શાના માટે જાણીતું છે ? 
Ans: પ્રાચીન કલાત્મક તોરણ અને હાટકેશ્વર મંદિર

પ્રશ્ન : વિકલાંગોને પગભર બનાવવા માટે અમદાવાદમાં કઇ સંસ્થા કાર્યરત છે? 
Ans: અપંગ માનવ મંડળ

પ્રશ્નવિશ્વના રમતગમત જગતનો પરિચય કરાવતી વ્યાયામ વિજ્ઞાન કોષ યોજનાના ગ્રંથની સામગ્રીને કેટલાં વિભાગમાં વહેંચવામાં આવી છે? 
Ans: નવ વિભાગમાં

પ્રશ્ન : વિશ્વમાં સર્વપ્રથમ જ સ્થપાઇ હોય તેવી કઈ યુનિવર્સિટીની સ્થાપના ગુજરાતમાં થઈ છે ? 
Ans: ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી

પ્રશ્ન : વિશ્વામિત્ર મુનિને ગાયત્રી મંત્રનો સાક્ષાત્કાર ગુજરાતના કયા સ્થળે થયો હતો? 
Ans: છોટા ઊદેપુરના વનમાં

પ્રશ્ન : વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર સંશોધકોને કયા એેવૉર્ડથી નવાજવામાં આવે છે? 
Ans: ડૉ. વિક્રમ સારાભાઇ એેવૉર્ડ

પ્રશ્ન : વૈષ્‍ણવ જન તો તેને રે.....‘‘ ભજનના રચયિતા કોણ હતા ? 
- નરસિંહ મેહતા

પ્રશ્ન : વ્યસનમુકિત અભિયાન સૌપ્રથમ કયાં શરૂ થયું? 
Ans: કનોરિયા હોસ્પિટલ-ગાંધીનગર

પ્રશ્ન : શંકરાચાર્યે દ્વારકામાં સ્થાપેલો મઠ કયા નામે ઓળખાય છે ? 
Ans: શારદાપીઠ

પ્રશ્ન : શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો એક ગુજરાતમાં છે, તે કયાં આવેલો છે ? 
Ans: દ્વારકા

પ્રશ્ન : શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો એક ગુજરાતમાં છે, તે કયાં આવેલો છે ? 
Ans: દ્વારકા

પ્રશ્ન : શિકાગો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટીવલ - ૨૦૦૯-૨૦૧૦માં કઇ ગુજરાતી ફિલ્મને ઇનામ મળ્યું ? 
Ans: હારૂન - અરૂન

પ્રશ્ન : શિવરાત્રિનું પર્વ ગુજરાતના કયા પનોતા પુત્રના જીવનમાં આમૂલ પરિવર્તન આણનારું બની રહ્યું? 
Ans: સ્વામી દયાનંદ સરસ્વતી

પ્રશ્ન : શ્રી અક્ષરપુરષોત્તમ સંસ્થાનું વડું મથક કયાં આવેલ છે ? 
Ans: બોચાસણ

પ્રશ્ન : શ્રી રંગઅવધૂતનો આશ્રમ કયાં આવેલો છે ? 
Ans: નારેશ્વર

પ્રશ્ન : શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના કયાં અને કયારે થઇ? 
Ans: વેરાવળ-ઇ.સ.૨૦૦૮

પ્રશ્ન : શ્રીકૃષ્ણ અવસાન પામ્યા તે ભાલકાતીર્થ કયા જિલ્લામાં આવેલ છે ? 
Ans: જૂનાગઢ

પ્રશ્ન : શ્રીરંગ અવધૂત મહારાજનું સ્મારક કયાં આવેલું છે? 
Ans: નારેશ્વર

પ્રશ્ન : શ્રીરંગ અવધૂત મહારાજનો જન્મ કયાં થયો હતો? 
Ans: ગોધરા

પ્રશ્ન : શ્રીરંગ અવધૂત મહારાજે કયા ભગવાનની ભકિતનો પ્રચાર કર્યો છે? 
Ans: દત્ત ભગવાન

પ્રશ્ન : સત્તાધાર નામનું ખ્યાતનામ તીર્થ કોની તપોભૂમિ તરીકે ખ્યાતનામ છે ? 
Ans: દાતાગીગા અને આપાગીગા સંત

પ્રશ્ન : સમસ્ત એશિયા ખંડમાં દ્વિતીય ક્રમાંકે આવતી એમ. એસ. યુનિવર્સિટીના સ્થાપક કોણ હતા? 
Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ

પ્રશ્ન : સર્વોચ્ચ અદાલતના સૌપ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા? 
Ans: હરિલાલ કણિયા

પ્રશ્ન : સવારથી લઇને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલઅગન પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે? 
Ans: સ્કાય લાર્ક

પ્રશ્ન : સવારથી લઇને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલઅગન પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે? 
Ans: સ્કાય લાર્ક

પ્રશ્ન : સાબરમતી નદીની કાંઠે કયા મહાન ભારતીય ઋષિએ અસ્થિ ત્યાગ કર્યો હતો? 
Ans: દધિચી

પ્રશ્ન : સામાન્ય અબાબીલ ગુજરાતમાં કયાંથી શિયાળો ગાળવા આવે છે? 
Ans: યુરોપ અને ઉત્તર એશિયાથી

પ્રશ્ન : સિદીઓનું નૃત્ય કયા નામથી ઓળખાય છે? 
Ans: ધમાલ નૃત્ય

પ્રશ્ન : સિધ્ધપુરનું પ્રાચીન નામ શું હતું ? 
Ans: શ્રીસ્થલ

પ્રશ્ન : સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્યતીર્થ કયાં આવેલું છે ? 
Ans: ગઢડા

પ્રશ્ન : સેન્ટ્રલ સોલ્ટ અને મરીન કેમિકલ્સ રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટ કયાં આવેલી છે ? 
Ans: ભાવનગર

પ્રશ્ન : સેવા સંસ્‍થાની સ્‍થાપના કોણે અને ક્યારે કરી હતી ? 
- ઈલાબહેન ભટ્ટે, 1972માં

પ્રશ્ન : સોમનાથ મંદિરની ટોચે ચઢાવવામાં આવેલા કળશનું વજન કેટલું છે? 
Ans: 10 ટન

પ્રશ્ન : સૌ પ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ કયારે બની? કઈ સાલમાં? 
Ans: કૃષ્ણ સુદામા- 1920

પ્રશ્ન : સૌપ્રથમ ગુજરાતી દૈનિક મુંબઇ સમાચાર કોણે શરૂ કર્યું હતું? 
Ans: ફરદુનજી મર્ઝબાન

પ્રશ્ન : સૌપ્રથમ ગુજરાતી પંચાંગ કયારે પ્રકાશિત થયું? 
Ans: સંવત ૧૮૭૧

પ્રશ્ન : સૌપ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ કઇ હતી? 
Ans: નરસિંહ મહેતા

પ્રશ્ન : સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય કયું છે ? 
Ans: ગોફ ગુંથન

પ્રશ્ન : સૌરાષ્ટ્રના ભરવાડ કોમના લોકો કયો રાસ લે છે? 
Ans: હુડારાસ

પ્રશ્ન : સૌરાષ્ટ્રની જૂની અને જાણીતી રાજકુમાર કૉલેજ કયા શહેરમાં આવેલી છે ? 
Ans: રાજકોટ

પ્રશ્ન : સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગે પુરૂષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? 
Ans: હલ્લીસક

પ્રશ્ન : હિન્દી ચલચિત્રોમાં ‘મા’ની આબાદ ભૂમિકા ભજવનાર સુપ્રસિદ્ધ ગુજરાતી અભિનેત્રીનું નામ જણાવો. 
Ans: નિરૂપા રોય

પ્રશ્ન : હિમાલય સાઇકલ યાત્રામાં સૌપ્રથમ વખત વિજેતા બનનાર ગુજરાતી કોણ છે? 
Ans: હાર્દિક રાવ

પ્રશ્ન : હિમાલયની પર્વતમાળામાં આવેલા નંદાદેવી શિખરને સૌપ્રથમ વખત સર કરનાર ગુજરાતી કોણ છે? 
Ans: નંદલાલ પુરોહિત

પ્રશ્ન : હિરાચોકડી ભાતની ભૌમિતિક ડિઝાઈન કયા ભરતકામમાં કરવામાં આવે છે? 
Ans: મહાજન ભરત

પ્રશ્ન : હિંદુ-મુસ્લિમ એકતાના જ્યોર્તિધર સંત કબીરના નામથી ઓળખાતો કબીરવડ કયા જીલ્લામાં આવેલો છે? 
Ans: ભરૂચ

પ્રશ્ન : હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતીકરૂપ ગણાતી મીરાદાતારની દરગાહ ગુજરાતમાં કયાં આવેલી છે ? 
Ans: ઉનાવા

પ્રશ્ન : હેમચંદ્રાચાર્યે સ્થાપેલું જ્ઞાનમંદિર ગુજરાતમાં કયાં આવેલું છે ? 
Ans: પાટણ
ગુજરાતી સામાન્ય જ્ઞાન પ્રશ્નો અને જવાબો | GK Questions in Gujarati

ગુજરાતી સામાન્ય જ્ઞાન પ્રશ્નો અને જવાબો | GK Questions in Gujarati

GK Questions in Gujarati : GPSC, TET,TAT, TALATI માટે ઉપયોગી ગુજરાતી સામાન્ય જ્ઞાન પ્રશ્નો અને જવાબો આપેલ છે. આવી અન્ય સામાન્ય જ્ઞાન પ્રશ્નો અને જવાબ માટે KISHAN BAVALIYA Blog ની મુલાકાત લો.
Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!