std 8 sci. unit 2 microorganisms:friend and foe ( સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ ) part 2

kishanbavaliya.blogspot.com
Free Education

વિષય :- વિજ્ઞાન  ધોરણ :- ૮  સત્ર :- ૧ પાઠ : ૨ સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ 

std 8 sci. unit 2 microorganisms:friend and foe ( સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ ) part 2

ઉપયોગી સૂક્ષ્મજીવો 

  • દહી,બ્રેડ તેમજ કેક બનાવવા માટે ઉપયોગી છે.
  • પ્રાચીન કાળમાં સૂક્ષ્મજીવો નો ઉપયોગ આલ્કોહોલ બનાવવા માટે કરવામાં આવતો હતો .
  • પર્યાવરણ ને સ્વચ્છ રાખવા માટે થાય છે.
  • જેમકે કાર્બનિક કચરો ( શાકભાજી,પ્રાણી,અવશેષ, મળ વગેરે ) નું વિઘટન બેક્ટેરિયા દ્વારા કરી બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં ફેરવવામાં આવે છે.
  • જમીનની ફળદ્રુપતા વધારવામાં ઉપયોગી થાય છે.

𑂽 દહી અને બ્રેડ બનાવવા 


  • લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા દૂધ માંથી દહી બનાવવા જરૂરી મુખ્ય છે.
  • ઇડલી અને ઢોંસાના ખીરામાં આથવણ લાવવા માટે બેક્ટેરિયા અને યીસ્ટ મદદ કરે છે.
  • યીસ્ટ જડપથી વિભાજન પામે છે. અને વિભાજન દરમિયાન કાર્બન ડાયોક્સાઈડ ઉત્પન કરે છે.
  • કેક , બ્રેડ , પ્રેસટીઝ ની બનાવટ માં બેકિંગ ઉધોગોમાં યીસ્ટ મુખ્ય આધાર ભૂત છે.

સૂક્ષ્મજીવોનો વ્યાપારિક ઉપગોગ 


  • આલ્કોહોલ અને વિનેગર ના વ્યાપારિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો નો ઉપયોગી છે.
  • શર્કરા માથી આલ્કોહોલ ના ઉત્પાદનમાં યીસ્ટ નો ઉપયોગ કરવામાં આવે છે.
  • શર્કરા માથી આલ્કોહોલ માં રૂપાંતર થવાની ક્રિયાને આથવણ કહેવાય છે.
  • લુઈ પાશ્વરે આથવણ ની શોધ કરી.

સૂક્ષ્મજીવોનો ઔષધિય ઉપગોગ 

  • હાનિકારક સૂક્ષ્મજીવો ની શરીર મા થતી વૃધ્ધિ અને વિકાસ અટકાવે તેને એન્ટિબાયોટિક્સ કહેવાય છે.
  • સામાન્ય રીતે સ્ટ્રેપટોમાઈસીન , ટેટ્રાસાયક્લિન અને એરિથ્રોમાઇસીન સામાન્ય ઉપયોગમાં લેવાતી એન્ટિબાયોટિક્સ છે.

રસી બનાવવા ઉપયોગી સુક્ષમજીવો

  • રસી એ એક પ્રકારના સૂક્ષ્મબેક્ટેરિયા જ છે. જે મૃત અવસ્થા માં આપના શરીર માં દાખલ કરવામાં આવે છે. જેથી આપણું શરીર રોગ સામે કઈ રીતે લડવું તેનાથી તૈયાર થાય છે.
  • રોગકારક સૂક્ષ્મજીવો થી બચવા રસી આપવામાં આવે છે.
  • કોલેરા , શીતળા , TB , કમળો જેવા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે.
  • શીતળા માટે રસી ની શોધ એડવર્ડ જેનરે કરી હતી.
  • નાના બાળક ને પીવડાવવામાં આવતા પોલિયા ના ટીપાં એ પણ એક રસી જ છે.


 સૂક્ષ્મજીવોનો જમીનની ફળદ્રુપતા વધારવા ઉપગોગ


  •  કેટલાક બેક્ટેરિયા વાતાવરણ માં રહેલા નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે.
  • આ પ્રકારે જમીનની ફળદ્રુપતા માં વધારો થાય છે.

સૂક્ષ્મજીવોનો પર્યાવરણ શુધ્ધ કરવા ઉપગોગ

  • બેક્ટેરિયા એ કાર્બનિક કચરનું વિઘટન કરી ખાતર માં ફેરવે છે.
  • કાર્બનિક કચરો :- ફળ , શાકભાજી , છાલ , મળ , પ્રાણીના અવશેષ વગેરે .....................

આગળ નો પાઠ બીજા ભાગ માં છે જે આગળ મુકવામાં આવશે
ટેસ્ટ આપવા માટે અહી ક્લિક કરો.

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!