સંશ્લેષિત ( કૃત્રિમ ) રેસાઓ અને પ્લાસ્ટિક (Synthetic Fibers and Plastics) Part :- 3

સંશ્લેષિત ( કૃત્રિમ ) રેસાઓ અને પ્લાસ્ટિક  (Synthetic Fibers and Plastics)  Part :- 3

સંશ્લેષિત ( કૃત્રિમ ) રેસાઓ અને પ્લાસ્ટિક (Synthetic Fibers and Plastics)

સંશ્લેષિત ( કૃત્રિમ ) રેસાઓ અને પ્લાસ્ટિક  (Synthetic Fibers and Plastics)  Part :- 3

ભાગ :- 3

પ્લાસ્ટિક



  • સંશ્લેષિત રેસા ની જેમ પ્લાસ્ટિક પણ પોલીમર છે.

  • દરેક પ્લાસ્ટિક માં એકમોની ગોઠવણી એકસમાન હોતી નથી.

  • કેટલાક રૈખિક હોય છે તો કેટલાક અરૈખિક .

  • પ્લાસ્ટિકની વસ્તુઓ શક્ય તેટલા આકાર તથા કદ માં ઉપલબ્ધ હોય છે.

  • પ્લાસ્ટિક ને સરળતાથી કોઈ પણ આકાર માં ઢળી શકાય છે.

  • પ્લાસ્ટિક ને રિસાઈકલ કરી ફરી થી ઉપયોગમાં લઈ શકાય છે.

  • રંગીન બનાવી શકાય છે.


પ્લાસ્ટિકના પ્રકાર

  1. થર્મોપ્લાસ્ટિક :- જે પ્લાસ્ટિક સરળતાથી વિકૃત થઈજાય કે તૂટી જાય તેને થર્મોપ્લાસ્ટિક કહેવાય છે.

  • પોલીથીન અને PVC એ થર્મોપ્લાસ્ટિક પ્રકારના પ્લાસ્ટિક છે.

  • રમકડાં , કંસકા અને વિવિધ પત્રો બનાવવામાં અ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે.

    2. થર્મોસેટિંગ પ્લાસ્ટિક :- એકવાર આકાર આપ્યાપછી ગરમ કરી આકાર બદલી શકતા નથી તેને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહેવાય છે.

  • બેકેલાઇટ અને મેલામાઇન એ આ પ્રકારના પ્લાતિક છે.

  • બેકેલાઇટ એ વિધ્યુત નું અવાહક હોવાથી તેનો ઉપયોગ વિધ્યુતની સ્વીચો , વાસણો , હાથાઓ વગેરેમાં વપરાય છે.

  • મેલામાઇન એ અગ્નિ અવરોધક છે, તેથી તેનો ઉપયોગ તળિયાની ટાઇલ્સ , રસોડાના વાસણો , અગ્નિ અવરોધક કાપડ વગેરે બનાવવા ઉપયોગી છે.



પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિક



  • હાલ આપણે દરેક જગ્યાએ પ્લાસ્ટિક નો ઉપયોગ બહોળા પ્રમાણમાં જોવા મળેછે. તેનું મુખ્ય કારણ એ છે કે તે વાપરવા માં ખુબજ સરળ, વજનમાં હલકું , સારી મજબૂતાઈ અને કિમત માં સસ્તું છે.

  • વજન હલકું હોવાના કારણે હવાઈ જહાજો ના પાર્ટ તેમજ મોટર કાર ના પાર્ટ બનાવવા ઉપયોગી છે.

  • ફર્નિચર , સુશોભનની વસ્તુઓ વગેરે બનાવવા ખુબજ ઉપયોગ થાય છે.



બિન પ્રતિક્રિયાશીલ

  • લોખંડ જેવા પદાર્થોને ખુલ્લામાં રાખવાથી ભેજ અને હવા શાથે પ્રક્રિયા કરી ખવાઇ જાય છે અને કટ લાગે છે. પરંતુ પ્લાસ્ટિક એ પાણી કે હવા સાથે કોઈ પણ પ્રક્રિયા કરતું નથી. આથી પ્લાસ્ટિકને વિવિધ પદાર્થો તેમજ રસાયણો રાખવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.



પ્લાસ્ટિક હળવું , મજબૂત અને ટકાઉ છે.



પ્લાસ્ટિક એ વિધ્યુત અને ઉષ્મા નું અવાહક છે.



ઉપર જણાવેલા કારણોથી પ્લાસ્ટિક નો ઉપયોગ ખુબજ બહોળા પ્રમાણ માં થઈ રહ્યો છે.



પ્લાસ્ટિક અને પર્યાવરણ


પ્લાસ્ટિક નો નિકાલ કરવો એ એક વિકટ સમસ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે તેનું વિઘટન જલ્દીથી થઈ શકતું નથી. તે એક પ્રકારનો જૈવઅવિઘટનીય ઘટક છે.

  • જૈવવિઘટનીય ઘટક :- જે પદાર્થ નું બેકતરીયા દ્વારા વિઘટન થાય તેને જૈવવિઘટનીય પદાર્થો કહેવાય છે.

  • જૈવઅવિઘટનીય :- જે પદાર્થ નું બેકતરીયા દ્વારા વિઘટન નથાય તેને જૈવઅવિઘટનીય પદાર્થો કહેવાય છે.

બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ .

5R નિયમ વાપરવો જોઈએ



  1. Reduce

  2. Reuse

  3. Recycle

  4. Recover

  5. Refuse


ટેસ્ટ આપવા અહી ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!