Ad Code

Ticker

6/recent/ticker-posts

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

ધોરણ 8 વિજ્ઞાન પાઠ 4 દહન અને જ્યોત સ્વાધ્યાય સોલ્યુશન

ધોરણ 8 વિજ્ઞાન પાઠ 4 દહન અને જ્યોત સ્વાધ્યાય સોલ્યુશન: Gujarat Board Textbook Solutions std 8 Science Chapter 4 દહન અને જ્યોત Textbook Questions and Answers, Notes Pdf.
ધોરણ 8 વિજ્ઞાન પાઠ 4 દહન અને જ્યોત સ્વાધ્યાય સોલ્યુશન


ધોરણ 8 વિજ્ઞાન પાઠ 4 દહન અને જ્યોત સ્વાધ્યાય સોલ્યુશન

Textbook Questions and Answers: ધોરણ 8 વિજ્ઞાન પાઠ 4 દહન અને જ્યોત સ્વાધ્યાય સોલ્યુશન

પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રસ્નોત્તર: દહન અને જ્યોત સ્વાધ્યાય સોલ્યુશન

Also Read : Class 8 Science Important Questions Chapter 4 દહન અને જ્યોત

પ્રશ્ન 1. જે શરતો હેઠળ દહન થઈ શકે છે, તેની યાદી બનાવો.

ઉત્તરઃ
  • દહન માટેની શરતોદહનશીલ પદાર્થની હાજરી,
  • હવાનો પુરવઠો (ઑક્સિજન, જે દહનક્રિયામાં મદદ કરે છે.),
  • જ્વલનબિંદુની પ્રાપ્તિ.

પ્રશ્ન 2. ખાલી જગ્યા પૂરોઃ દહન અને જ્યોત સ્વાધ્યાય સોલ્યુશન

દહન અને જ્યોત સ્વાધ્યાય સોલ્યુશન

પ્રશ્ન 1. લાકડું અને કોલસાના દહનથી હવા ………… થાય છે.

ઉત્તરઃ પ્રદૂષિત

પ્રશ્ન 2.  ………. એ ઘરમાં વપરાતું એક પ્રવાહી બળતણ છે.

ઉત્તરઃ કેરોસીન

પ્રશ્ન 3. બળતણ સળગે તે પહેલાં તેને તેના ………… સુધી ગરમ કરવું અનિવાર્ય છે.

ઉત્તરઃ જ્વલનબિંદુ

પ્રશ્ન 4. તેલથી લાગેલી આગને ………. વડે નિયંત્રિત કરી શકાય નહિ.

ઉત્તરઃ પાણી

દહન અને જ્યોત સ્વાધ્યાય સોલ્યુશન

પ્રશ્ન 3. વાહનોમાં CNG વાપરવાથી કઈ રીતે પ્રદૂષણમાં ઘટાડો થયો છે, તે સમજાવો.

ઉત્તર: વાહનોમાં CNG વાપરવાથી થતા પ્રદૂષણમાં ઘટાડાનાં કારણો:
  • CNGનું દહન સંપૂર્ણ થાય છે.
  • તે દહન દરમિયાન પ્રદૂષિત વાયુ નહિવત્ ઉત્પન્ન કરે છે.
  • તેના દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી.
  • CNG એ સ્વચ્છ બળતણ છે.

પ્રશ્ન 4. બળતણ તરીકે LPG અને લાકડાની સરખામણી કરો.

ઉત્તરઃ 
LPG 
  • (1) વાયુરૂપી બળતણ છે. 
  • (2) દહન બાદ કોઈ અવશેષ બાકી નથી.
  • (3) તેના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થતો નથી.
  • (4) તેનું દહન સહેલાઈથી થાય છે.
  • (5) તેનું જ્વલનબિંદુ નીચું છે.
  • (6) તેનું દહન નહિવત્ પ્રદૂષણ ઉત્પન્ન કરે છે.

લાકડું
  • (1) ઘન બળતણ છે.
  • (2) દહન બાદ રાખ અવશેષ રૂપે રહે છે
  • (3) તેના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થાય છે.
  • (4) તેનું દહન થતાં ઘણી વાર લાગે છે.
  • (5) તેનું જ્વલનબિંદુ ઊંચું છે.
  • (6) તેનું દહન વધારે પ્રદૂષણ ઉત્પન્ન કરે છે.

પ્રશ્ન 5. કારણો આપો? દહન અને જ્યોત સ્વાધ્યાય સોલ્યુશન


પ્રશ્ન 1. વિદ્યુતનાં સાધનો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી.

ઉત્તરઃ
  • પાણી વિદ્યુતનું વહન કરે છે.
  • વિદ્યુતનાં સાધનોને લીધે લાગેલી આગને ઓલવવા પાણી વાપરવાથી પાણી વિદ્યુતના સંપર્કમાં આવતાં આગ ઓલવનાર વ્યક્તિના શરીરમાં વિદ્યુતપ્રવાહ દાખલ થાય છે. પરિણામે વીજળીનો આંચકો લાગે છે.
  • આ કારણે વિદ્યુતનાં સાધનો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી..

પ્રશ્ન 2. લાકડા કરતાં LPG એ ઘરવપરાશનું વધુ સારું બળતણ છે.

ઉત્તરઃ
  • લાકડા કરતાં LPGનું કૅલરી મૂલ્ય ઘણું વધારે છે.
  • લાકડાના દહન દરમિયાન ધુમાડો અને પ્રદૂષણકારક વાયુ ઉત્પન્ન થાય છે, જ્યારે LPGના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થતો નથી અને પ્રદૂષણકારક વાયુ નહિવત્ ઉત્પન થાય છે.
  • લાકડાના દહનનું નિયંત્રણ કરી શકાતું નથી, જ્યારે LPGના દહનનું નિયંત્રણ કરી શકાય છે.
  • લાકડાનું જ્વલનબિંદુ LPGના જ્વલનબિંદુ કરતાં ઊંચું હોવાથી તેનું દહન થતાં ઘણો સમય લાગે છે.
  • આ કારણે લાકડા કરતાં LPG એ ઘરવપરાશનું વધુ સારું બળતણ છે.

પ્રશ્ન ૩. કાગળ પોતે સરળતાથી આગ પકડી લે છે, પરંતુ ઍલ્યુમિનિયમના પાઇપ ફરતે વીંટાળેલો કાગળનો ટુકડો જલદીથી સળગતો નથી. સમજાવો.

ઉત્તરઃ
  • કાગળનું જ્વલનબિંદુ નીચું હોવાથી કાગળ સરળતાથી આગ પકડી લે છે.
  • ઍલ્યુમિનિયમના પાઈપ ફરતે વીંટાળેલો કાગળનો ટુકડો જલદીથી સળગતો નથી. કારણ કે, એલ્યુમિનિયમ ઉષ્માવાહક હોવાથી કાગળને મળતી ગરમી ઍલ્યુમિનિયમ શોષી લે છે અને કાગળ તેના જ્વલનબિંદુ સુધી પહોંચી શકતો નથી. આ કારણે કાગળનો ટુકડો જલદીથી સળગતો નથી.

પ્રશ્ન 6. મીણબત્તીની જ્યોતની નામનિર્દેશવાળી આકૃતિ દોરો.

ઉત્તરઃ
ધોરણ 8 વિજ્ઞાન પાઠ 4 દહન અને જ્યોત સ્વાધ્યાય સોલ્યુશન

પ્રશ્ન 7. બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ જણાવો.

ઉત્તરઃ બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ કિલોજૂલ પ્રતિ કિગ્રા (kJ/kg) છે.

પ્રશ્ન 8. CO2 કઈ રીતે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે, તે સમજાવો.

ઉત્તરઃ

  • CO2 વાયુ દહનશીલ નથી તેમજ દહનપોષક નથી. તેથી તે દહનમાં અવરોધ ઊભો કરે છે.
  • CO2 વાયુ ઑક્સિજન કરતાં ભારે હોવાને કારણે આગની આજુબાજુ જમા થઈ આગને ધાબળાની માફક લપેટે છે.
  • બળતણ અને ઑક્સિજન વચ્ચેનો સંપર્ક કપાઈ જાય છે અને આગ નિયંત્રણમાં આવે છે. આમ, CO2 અગ્નિશામક હોવાથી તે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે.

પ્રશ્ન 9. લીલાં પાંદડાંના ઢગલાને સળગાવવો અઘરો છે, પરંતુ સૂકાં પાંદડાં સરળતાથી આગ પકડી લે છે. સમજાવો.

ઉત્તરઃ  લીલાં પાંદડાંમાં થોડા પ્રમાણમાં પાણી હોવાથી તેનું જ્વલનબિંદુ ઊંચું જાય છે અને સહેલાઈથી સળગતાં નથી. સૂકાં પાંદડાંમાં ભેજ હોતો નથી. તેથી તેનું જ્વલનબિંદુ નીચું હોવાને કારણે સરળતાથી આગ પકડી લે છે.

પ્રશ્ન 10. સોની મીણબત્તીની જ્યોતના કયા વિસ્તારનો સોનું અને ચાંદી – પીગાળવા માટે ઉપયોગ કરે છે અને શા માટે?

ઉત્તરઃ
સોનું અને ચાંદી પીગાળવા માટે સોની મીણબત્તીની જ્યોતના મધ્ય વિસ્તારનો ઉપયોગ કરે છે. જ્યોતનો આ વિસ્તાર સૌથી મોટો છે. આ વિસ્તારમાં મીણના કણો અપૂર્ણ દહન પામી તખોજ્જવલ બને છે. સોની ફૂંકણી મારફતે આ જ્યોતના વિસ્તારને સોના અને ચાંદી પર નાખતાં, ફૂંકણી મારફતે મળતી હવાથી, મીણના કણો સંપૂર્ણ દહન પામી પુષ્કળ ગરમી ઉત્પન્ન કરે છે. જે સોના અને ચાંદીને પીગાળે છે.
(નોંધઃ પાઠ્યપુસ્તકમાં આપેલી માહિતી: “સોની જ્યોતના સૌથી બહારના ભાગનો ઉપયોગ કરે છે. આ માહિતી સાચી નથી. કારણ કે, જ્યોતનો બહારનો છે ! ભાગ બહુ નાનો છે.].

પ્રશ્ન 11. એક પ્રયોગમાં 4.5 કિગ્રા બળતણનું સંપૂર્ણ દહન કરવામાં આવ્યું. તેમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા 180,000 kJ નોંધાઈ. બળતણનું કેલરી મૂલ્ય શોધો.

ઉત્તરઃ
બળતણનું કુલ દળ = 4.5 કિગ્રા
ઉત્પન્ન થયેલી ઉષ્મા = 180,000 kJ

= 40,000 kJ/kg
બળતણનું કૅલરી મૂલ્ય = 40,000 kJ/ kg છે.

પ્રશ્ન 12. શું કાટ લાગવાની ક્રિયાને દહન કહી શકાય? ચર્ચા કરો.

ઉત્તરઃ કાટ લાગવાની ક્રિયાને દહન કહી શકાય નહિ, કારણ કે, કાટ લાગવાની ક્રિયા દરમિયાન ગરમી અને પ્રકાશ ઉત્પન્ન થતાં નથી. દહનક્રિયામાં ગરમી અને પ્રકાશ બંને ઉત્પન્ન થાય છે. (કાટ લાગવાની ક્રિયાને મંદદહન કહી શકાય.)

પ્રશ્ન 13. આબિદા અને રમેશ એક પ્રયોગ કરી રહ્યા હતાં. જેમાં પાણીને બીકરમાં ગરમ કરવાનું હતું. આબિદાએ બીકરને વાટની નજીક મીણબત્તીની જ્યોતના ‘ પીળા ભાગમાં રાખ્યું. રમેશે બકરને જ્યોતના સૌથી બહારના ભાગમાં રાખ્યું. કોનું + પાણી ઓછા સમયમાં ગરમ થઈ જશે?

ઉત્તરઃ રમેશે ગરમ કરવા રાખેલું પાણી ઓછા સમયમાં ગરમ થઈ જશે, કારણ કે તેણે બીકરને જ્યોતના સૌથી બહારના ગરમ વિસ્તારમાં રાખ્યું હતું.

Also Read: Science Class 8


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ